નિર્દોષો ના પ્રાણ
ગુરુવાર,7 માર્ચ 2019
જેટલીવાર થાય આતંકવાદી હરકત
સામે આવતી જાય તેમની કરતૂત
કાશ્મીર ઘાટી માં તૂટી તેમની કમર
એટલે જમ્મુ પર છે તેમની નજર।
શું આમ કરવાથી થશે તેમનું ભલું?
આમેય નીકળી ગયું છે એમનું દેવાળું
જ્યા જુઓ ત્યાં મળે છે તેમને ધિક્કાર
બીજા સંપન્ન દેશો પણ કરે છે તેમનો તિરસ્કાર।
આ ધાર્મિક ઉન્માદ ક્યારે અટકશે?
કોણ જઈને તેમને સમજાવશે?
આ તો લાવી દેશે તેમના દેશ નો વિનાશ!
લોકો માટે પણ નોતરશે સર્વનાશ।
આવા પાડોસી દેશો હંમેશા હોય ખતરનાક
કરાવતા રહે હુમલા અચાનક
આત્મઘાતી દસ્તાઓને આપે તાલીમ
પછી નિર્દોષો ના જાન લઇ થઇ જાય જાલીમ।
જ્યારે એનો કોઈજ ઈલાજ ના હોય
ત્યારે પરિસ્થિતિ ની ગંભીરતા થી સમીક્ષા કરવાની હોય
અણુયુદ્ધ ના ખતરા ને જોઈને શાંત ના બેસી રહેવાય
નિર્દોષો ના પ્રાણ ના લેવા દેવાય।
હસમુખ અમથાલાલ મેહતા
This poem has not been translated into any other language yet.
I would like to translate this poem
અણુયુદ્ધ ના ખતરા ને જોઈને શાંત ના બેસી રહેવાય નિર્દોષો ના પ્રાણ ના લેવા દેવાય। હસમુખ અમથાલાલ મેહતા Hasmukh Amathalal