પશ્યાતાપ ની આગ
કઈ ના આવ્યું હાથ
જેણેછોડ્યો સંગાથ
ભરવા તો ગયો બાથ
હવા એ પણ છોડ્યો સાથ।
હવે તો શબ્દ પણ નથી લખાતો
લખેલું પણ નથી વાંચી શકતો
અરે તરસે છે કાન, સાંભળવા માટે
ભૂલી ગયો છે, સઘળી વાતો તરભેટે।
પ્રેમ ને તરછોડી, વિદાઈ લીધી
પારેવડાની પાંખો, કાપી દીધી
તેણે તો તરફડી, ને દીધી જાન
પછી ક્યાંથી કહું હું તને મહાન?
પ્રેમ નો મહામૂલો વારસો
તેં તો કર્યો એનો ફારસો
બે દિલો ને દીધો તે કારમો ઘાત
તેણેતો દીધા પ્રાણ, પામી ઘણો આઘાત।
મન થી સમજી જાજો
આવી ભૂલો કદી ના કરજો
પછી તો છે મરજીઉપરવાળા ની
પશ્યાતાપ ની આગ જોઈએ જીરવવાની।
કઈ ના આવ્યું હાથ જેણે છોડ્યો સંગાથ ભરવા તો ગયો બાથ હવા એ પણ છોડ્યો સાથ।
This poem has not been translated into any other language yet.
I would like to translate this poem
Harshad Gosai Nice Mahetaji.. Laganiyo ne wacha aapi... 1 Manage LikeShow more reactions · Reply · 28m