રહો હંમેશા ગરીબનવાજ
પત્થર ને તોડવા તાકાત જોઈએ
હાથો માં ક્ષમતા જોઈએ
તેના માટે કલા ની જરૂર નથી
બસ મહેનત અને પરસેવો પાડવાની જરૂર થી।
એના પરસેવા માં સુગંધ છે
માનવતા ની ફોરમ છે
લાચારી નથી પણ કુદરત ની સામે ભીડવાની હામ છે
નવી વસ્તુ નું નિર્માણ કરવાનો નીર્ધાર છે।
શિલ્પકાર નું કામ પત્થર ને કોતરવાનું
નાની નાની છીણી વડે પ્રાણ ને ફૂંકવાનું
મૂર્તિ ને જીવંત વાણી અને વાચા આપવાનું
બોલું બોલું કરે તેવો ઘાટ આપી ને મૂર્તિમંત કરવાનું।
આતો થઇ સામાન્ય વાત પ્રેરણામુર્ત થવાની
સામાન્ય માણસ ની એક પ્રેરણા સાધના મૂર્તિ થવાની
કૈંક ખાવા માટે ના હોય તો પણ દીનબંધુ થવાની
આખો જન્મારો સેવામાં અર્પી કુરબાન થવાની।
શા માટે પીછે હઠ અથવા પારોઠ ના પગલા?
જીવન છે કદી થઇ જાઓ વહાલા તો કદી દવલા
ચડ ઉતર તો થયા કરે પણ હારી ના જવાય
ગમે તે થાય પણ ઠરીઠામ જ થવાય।
આપણેજ કલાકાર, મૂર્તિકાર અથવા શિલ્પકાર
બસ જોઈએ ફક્ત હાથ બનવા માટે માહિતગાર
રસ્તા ઘણા હશે પણ એકજ રહેશે યાદગાર
રહો હંમેશા ગરીબનવાજ તો યાદ રહેશો જાણે હતા મદદગાર।
આપણેજ કલાકાર, મૂર્તિકાર અથવા શિલ્પકાર બસ જોઈએ ફક્ત હાથ બનવા માટે માહિતગાર રસ્તા ઘણા હશે પણ એકજ રહેશે યાદગાર રહો હંમેશા ગરીબનવાજ તો યાદ રહેશો જાણે હતા મદદગાર।
This poem has not been translated into any other language yet.
I would like to translate this poem
welcome syahee.com Unlike · Reply · 1 · Just now