રામ નો સહારો
મંગળવાર,29 જાન્યુઆરી 2019
મને રામ નો સહારો
એના નામ નો સથવારો
કપાશે સુખ થી જન્મારો
દુઃખ નો ના લાગશે અણસારો।
જીવન છે ઘણું કઠણ
પ્રભુ નું કરવું રટણ
જીવન છે કસોટી નું એરણ
બસ સમજી લો એનું તારણ।
જીવન નો મારગ જો ના કપાય
તો જીવતર વસમું થઇ જાય
પાપો થી જો જીવન છલકાય
તો પછી પુન્ય ક્યાં થી જમા થાય?
આવા જીવતર નો એકજ ઉપાય
સદગુણોથી જ ઉદ્ધારથાય
જીવતર નો ઉદ્દેશ સફળ થાય
અને ભવસાગર સફળતા થી તરી જવાય।
ટીપે ટીપે સરોવર ભરાય
તેમ પુણ્યો નો ધીરે ધીરે ઉદય થાય
જમા પાસું વધે એટલે સુખ નો ઉદય થાય
ચારેકોર પ્રશંશા થાય અને વાહવાહ થાય
હસમુખ અમથાલાલ મહેતા
Tum Yang Hang Limbu 14 mutual friends 1 Edit or delete this Like · Reply · 1m
ટીપે ટીપે સરોવર ભરાય તેમ પુણ્યો નો ધીરે ધીરે ઉદય થાય જમા પાસું વધે એટલે સુખ નો ઉદય થાય ચારેકોર પ્રશંશા થાય અને વાહવાહ થાય હસમુખ અમથાલાલ મહેતા
This poem has not been translated into any other language yet.
I would like to translate this poem
Bhadresh Bhatt 1 mutual friend Message