સાચો ત્યાગ
હું માનું એક જ મંત્ર
કારણ કે શરીર છે યંત્ર
કરે કામ પવિત્ર
અને દેખાય પણ સચિત્ર।
બસ જરૂર છે પાવન વિચારો ની
ઘરમાં મળેલ સંસ્કારો ની
આજુબાજુ માં થી ભળેલ સંસ્કૃતિ ની
અને મન માં સમાયેલ આકૃતિ ની।
નથી કોઈ આડંબર
કે નથી બન્યો બીજાનો રાહબર
મારા વિચારો નું નથી કર્યું મુલ્યાંકન
બસ ભીતર થી કર્યું છે અવલોકન।
નથી આપી શકતો વચન
કારણકે એતો છે ખાલી પ્રવચન
સાંભળી એ ત્યાં સુધીજ વૈરાગ્ય
બાકી સંસારી ને વહાલો છે પૈસો અને આરોગ્ય।
સ્વર્ગ કોઈ એ જોયું નથી
અને જોયું હોય તો ગયેલા આત્મા ઓએ પાછું આવી સંભળાવ્યું નથી
આપણે જરૂર પણ નથી
સારા કરમો કદી પાછા પાડતા નથી।
ખાલી જૈન હોવાનો ગર્વ ના કરો
કર્મ બાંધ્યા હોય તો તેનો હ્રાસ કરો
મન થી ત્યાગ અને મન થી જ જાકારો
સાચા ત્યાગ ને અવશ્ય સ્વીકારો।
This poem has not been translated into any other language yet.
I would like to translate this poem
ખાલી જૈન હોવાનો ગર્વ ના કરો કર્મ બાંધ્યા હોય તો તેનો હ્રાસ કરો મન થી ત્યાગ અને મન થી જ જાકારો સાચા ત્યાગ ને અવશ્ય સ્વીકારો।