સંસાર ખરેખર સ્વર્ગ છે
આપણે ગામડા ના માણસો ને અભણ ગણીએ
વાતવાત માં એમને ઉતારી પાડીએ
"તમને ગતાગમ ના પડે "આવા વિશ્લેષણ વાપરીએ
થોડો પ્રકાશ પાડી ને આ વિષે વિચારીએ।
આજે આપણા માં વિશ્વાસસ નો અભાવ વર્તાય
પણ એનો કોઈજ નથી પર્યાય
હિમાલય ની વાત પકડવાથીજ્ઞાન માં વૃદ્ધિ ના થાય
સંસાર માં પાછા આવીએ ત્યારે ફજેતી થાય!
શહેર માં ફક્ત કોરી આંખ જોવા મળે
આત્મીયતા નો અભાવ પારખવા મળે
તેમનું ગણિત આપણ ને ના પરવડે
ઘણા લોકો તેમાં વૃદ્ધિ કરે અને ઘણા તેને ભાગે।
અભણ માણસ ની આંખો માં પ્રેમ છલકાય
વાણી માં ભારોભાર કંસાર જેવી મીઠાસ વર્તાય
આવા માણસો ને કેમ્બ્રિજ માં જવાની ક્યાં જરૂર છે?
એતો પોતાની વાત પાર કાયમ અને હંમેશા મગરૂર રહે છે।
વાણી માં મધુરતા હોય
એક બીજા ને મળવાની આતુરતા હોય
પ્રસન્ગોપાત એકબીજા ને સહકાર આપતા હોય
આવા માણસોથી જ "સંસાર ખરેખર સ્વર્ગ છે" તેની પ્રતીતિ કરાવતા હોય।
ઠઠ્ઠા મશ્કરી તો બધાજ કરે
ગરીબ ની ઠેકડી બધાજ ઉડાડે
પણ ઈજ્જત ને જે સાચવેતેજ શીક્ષિત
આજ વર્તન છે બધાથી અપેક્ષિત
ઠઠ્ઠા મશ્કરી તો બધાજ કરે ગરીબ ની ઠેકડી બધાજ ઉડાડે પણ ઈજ્જત ને જે સાચવેતેજ શીક્ષિત આજ વર્તન છે બધાથી અપેક્ષિત
This poem has not been translated into any other language yet.
I would like to translate this poem
welcome mukesh joshi Like · Reply · 1 · Just now