સત્યતા
સોમવાર,11 માર્ચ 2019
ના મળ્યો કોઈ નો દિલાસો
મન માં રહી ગયો વસવસો
આવા તો કેવા આવ્યા દિવસો?
લાગે કારમો આઘાત પછી ભલે ને વીતી જાય વારસો।
રંજાડયા મેં ભાઈ ભાંડુઓ ને
ના છોડયા કોઈ પારકા ને
બસ રાખ્યો એકજ ધ્યેય જીવન નો
સમય નો કદી ના થાય વ્યય।
એક એક પળ નો રાખ્યો હિસાબ
અને આપ્યો બધાને ઉડાઉ જવાબ
કદીના કરી કોઈની સહાય
વિચાર્યું કે બળતા માં જ ઘી હોમાય।
આવો બનાવ્યો મૂળ સ્વભાવ
લોકો જોઈને બદલ્યા હાવભાવ
બીમારી માં પણ લોકો ના ના પૂછયા હાલચાલ
આવો પ્રતિભાવ જોઈ બગડયા મારા હાલ।
મન માં લાગ્યું કે "મેં ભવ બગાડ્યો "
પૈસા ની લાલસા માં હું ખુબજ લપસ્યો
કદર કરવા ને બદલે હાંસી ઉડાવી
તેમની ઉદારતા ને મેં કદી ના બિરદાવી।
તેમના મન માં શંકા ની વાદળીઓ ને ઘુમરાવી
તેમની માનવતા ને મેં ઠુકરાવી
તેમ કરી ને મેં વાત ને વધારે વણસાવી
અને હવે તેની સત્યતા મારાપાર થઇ ગઈ હાવી।
હસમુખ અમથાલાલ મહેતા
This poem has not been translated into any other language yet.
I would like to translate this poem