સુખે થી જીવીશું
શનીવાર,22 સપ્ટેમ્બર 2018
હવે તો સુખે થી જીવીશું
માળા પણ દિલ થી જપીશું
ઘટઘટ માં આવી ને વસો તમે નાથ
સદા ઝંખું તમારા દર્શન અને માંગુ સાથ।
નથી કોઈ કામના કે નથી કોઈ આસ
લાગે મને એવુંકે આપ છો અહીં આસપાસ
જડ કે ચેતન માં પણ મને થાય આભાસ
પ્રભુ કૃપા કરો એવી કે વધી જાય મારો વિશ્વાસ।
આવી છે જીવન ની ઘટમાળ
સ્નેહ વરસાવે ઘરવાળા અને બાળ
એક બીજા ની હૂંફ થી જીવીએ
સગાવહાલા ને દિલ થી મળીએ।
બસ જો હોય હેત નો વસવાટ
તો મળી જાય સાચો મારગ અને વાટ
દિલ માં કદી ના રહે કચવાટ
તમે તો પકડી છે એકજ વાત, હવે કોની જુઓ છો વાટ?
સંત ની વાતો થી હરખાણો
મારો માંયલો ઘણો પછતાણો
અંતરમન નો મેલ ધોવાણો
મારા પાર પ્રભુ નો છે ઉપકાર ઘણો।
મન થી હું ઘણો સંવેદનશીલ
પણ ભાવના રહીં ઘણી હીન
વાત વાત માં ગુસ્સો ઘણો આવે
પાછળ થી સુખ લાગે પસ્તાવે।
હસમુખ અમથાલાલ મેહતા
મન થી હું ઘણો સંવેદનશીલ પણ ભાવના રહીં ઘણી હીન વાત વાત માં ગુસ્સો ઘણો આવે પાછળ થી સુખ લાગે પસ્તાવે। હસમુખ અમથાલાલ મેહતા
This poem has not been translated into any other language yet.
I would like to translate this poem
welcome manisha mehta