તૃપ્તિ નો આભાસ
શુક્રવાર,19 ઓક્ટોબર 2018
સાંજ પડે અને નિરાશા આવી જાય
મનમંથન થાય અને મગજ માં છવાઈ જાય
નજરસમક્ષ અંધારપટ છવાઈ જાય
ચેહરાપર ગ્લાનિ ના વાદળ છવાતા જાય।
કોઈપણ દુઃખ ના હોય તોપણ
હંમેશા લાગે કોઈ ને કોઈ ઉણપ
બસ અજ્ઞાત સુખ ની થાય તડપ
મને આવેગ આવે અને કરે ઝડપ।
આવોજ છે આપણો જીવનક્રમ
આપણે જ આપતા હોઈએ છીએ અગ્રતાક્રમ
સુખ ની પરિભાષા જાતે જ કરવી પડે
અને તેની તૃપ્તિ માટે પ્રયાસ પણ કરવો પડે।
કુદરતે જે આપવાનું છે તે આપેજ
આપણે જ પ્રયાસ કરવો પડે સહજ
સુખે થી રહેવાની ચાવી તમારા હાથ માં
કેમ એને અનુરૂપ થવું એ પણ રાખો મન માં।
જીવન માં તૃપ્તિ નો આભાસ થાય
પણ વધારે વાંછના કદી ખતમ ના થાય
"હજુ વધારે કેમ મળે "તે માટેના પ્રયત્નો ચાલુ
ના મળે સફળતા તો પછી જીવન લાગે નમાલું।
હસમુખ અમથાલાલ મહેતા
This poem has not been translated into any other language yet.
I would like to translate this poem
જીવન માં તૃપ્તિ નો આભાસ થાય પણ વધારે વાંછના કદી ખતમ ના થાય હજુ વધારે કેમ મળે તે માટેના પ્રયત્નો ચાલુ ના મળે સફળતા તો પછી જીવન લાગે નમાલું। હસમુખ અમથાલાલ મહેતા