વિરાસત નો સંદેશ
લોકો ભૂલવા કરે છે
પણ પાછળ થી પસ્તાવો કરે છે
માફી માગે છે દિલથી
અને મળી જાય પ્રેમ થી તો નાચે છે ઘેલથી।
શા માટે જીવતર ને ઓછું આંકવું?
શા માટે લોકો ની માનસિકતા ને પ્રાધાન્ય આપવું?
આપણે છીએ તો જ સંસાર છે
બાકી બધા મન ના વિચાર છે।
શાયરી કરવી ઠાલી ઠાલી
શબ્દો ની વેઠ અને પેઠ કરવી મેલી
જન્મારો બહુજ દોયલો છે
ખાલી દુઃખી ભીતર માં બેઠેલો હંસલો છે।
પોતાનાથી જ નારાજગી
પછી ક્યાં થી થશે બંદગી?
પ્રભુ કહે છે 'આવ મારે શરણે'
તને બધા પાઠ ભણાવી દઉં ચરણે।
કોસો તો કોસો લાગેલ ઘેલછા ને
કહીદો વહી જાય મેલી મનસા ને
એનો કઈ ગજ વાગવાનો નથી
અમારા માં કોઈ પ્રવેશ મળવાનો નથી।
જોડાવો મારી સાથે અને કરો હાકલ
હું જ બનીશ પથદર્શક થઇ શ્યામલ
પકડીશ તમારો હાથ અને ચિંધીશ વણદેખ્યો પ્રદેશ
બસ લઈને જાજો જોડે'આપણી વિરાસત નો સંદેશ'
This poem has not been translated into any other language yet.
I would like to translate this poem