વિરાસત નો સંદેશ Virasat Poem by Mehta Hasmukh Amathaal

વિરાસત નો સંદેશ Virasat

વિરાસત નો સંદેશ

લોકો ભૂલવા કરે છે
પણ પાછળ થી પસ્તાવો કરે છે
માફી માગે છે દિલથી
અને મળી જાય પ્રેમ થી તો નાચે છે ઘેલથી।

શા માટે જીવતર ને ઓછું આંકવું?
શા માટે લોકો ની માનસિકતા ને પ્રાધાન્ય આપવું?
આપણે છીએ તો જ સંસાર છે
બાકી બધા મન ના વિચાર છે।

શાયરી કરવી ઠાલી ઠાલી
શબ્દો ની વેઠ અને પેઠ કરવી મેલી
જન્મારો બહુજ દોયલો છે
ખાલી દુઃખી ભીતર માં બેઠેલો હંસલો છે।

પોતાનાથી જ નારાજગી
પછી ક્યાં થી થશે બંદગી?
પ્રભુ કહે છે 'આવ મારે શરણે'
તને બધા પાઠ ભણાવી દઉં ચરણે।

કોસો તો કોસો લાગેલ ઘેલછા ને
કહીદો વહી જાય મેલી મનસા ને
એનો કઈ ગજ વાગવાનો નથી
અમારા માં કોઈ પ્રવેશ મળવાનો નથી।

જોડાવો મારી સાથે અને કરો હાકલ
હું જ બનીશ પથદર્શક થઇ શ્યામલ
પકડીશ તમારો હાથ અને ચિંધીશ વણદેખ્યો પ્રદેશ
બસ લઈને જાજો જોડે'આપણી વિરાસત નો સંદેશ'

વિરાસત નો સંદેશ Virasat
Monday, June 26, 2017
Topic(s) of this poem: poem
COMMENTS OF THE POEM
READ THIS POEM IN OTHER LANGUAGES
Mehta Hasmukh Amathaal

Mehta Hasmukh Amathaal

Vadali, Dist: - sabarkantha, Gujarat, India
Close
Error Success