અમરત્વ
શનિવાર,24 નવેમ્બર 2018
કેટલાએ જીવ આવ્યા અને ગયા
કેટલા પોતાનું નામ અમર કરતા ગયા?
નામ એમના વેઢે પણ ઘણી શકાય
અદ્રશ્ય થઇ ગયા રાજા, મહારાજા અને મહાકાય।
શરીર છેજ નશ્વર
ભુલાઈ જાશે તમારો સ્વર
અવાજ ની દુનિયા અમર છે
તમારો કંઠઓળખ છે।
મિથ્યા અભિમાન અને આ બધો દોરદમામ
બધું નષ્ટ થઇ જવાનું જ્યારે કામ થશે તમામ
ખાલી નામ જ શેષ રહી જવાનું
એ પણ કાળાંતરે ભુલાઈ જવાનું।
રાજારામ અને રાવણ અમર થઇ ગયા
વારસો જૂનો વારસો પાછળ મુકતા ગયા
ભૂલો નાયક અને ખલનાયક થઇ પુજાયા
પણ બધાના દિલ માં રાજ કરી ગયા।
શહીદી વહોરવી એ નાની વાત નથી
ગભરૂ અનેકાયર લોકો નું એ કામ નથી
ઇતિહાસ ના પાના પરનામ અંકિત કરવું
બલિદાન ની ગાથા થી અમરતત્વ પ્રાપ્ત કરવું।
હસમુખ અમથાલાલ મહેતા
This poem has not been translated into any other language yet.
I would like to translate this poem
શહીદી વહોરવી એ નાની વાત નથી ગભરૂ અનેકાયર લોકો નું એ કામ નથી ઇતિહાસ ના પાના પરનામ અંકિત કરવું બલિદાન ની ગાથા થી અમરતત્વ પ્રાપ્ત કરવું। હસમુખ અમથાલાલ મહેતા