અંતરાઆત્મા નો અવાજ
સોમવાર,19 નવેમ્બર 2018
કોઈ ને ના આપો ખોટો દિલાસો
પછી પાછળ થી રહી જાય વસવસો
પશ્ચાતાપ કરવા માટે નીકળી જાય સમય ખાસો
જીવન માં લાગે ખાલીપો અને નીકળી જાય દિવસો।
સાચી સલાહ કોઈ હિતેચ્છુ જ આપે
મન માં કોઈ ના પ્રત્યે ભેદભાવ ના રાખે
સામે થી સલાહ આપવા એ કદી ના જાય
પણ પૂછે તો એના મન માં અહોભાવ પેદા થાય।
પણ કહે છે "ઝેર ના પારખા ના હોય "
મન માં અવિશ્વાસ નો જરાપણ અંશ ના રાખવાનો હોય
ખારાખોટા નો ભેદ પારખતા આવડતું હોય
આવાજ માણસો, સમો પારખી નેઆગળ વધતા હોય।
જો મન માં અંદેશો હોય તો પૃચ્છા કરી લેતા હોય
પછી ભલે ને સફળતા ના મળતી હોય
પણ મન માં સ્વભાવિક એક ઉત્સુકતા તો હોયજ
એને સંતોષવી એજ એનો ખરો ઉપાય હોય।
અંતરઆત્મા ના અવાજ ને ઓળખો
માણસ અને સ્વભાવ ને જરૂર થી પરખો
નિષ્ફળતા નો ભૂતકાળ જો સ્વાદ ચાખ્યો જ હોય
તો પછી સ્વયં ને જ સવાલ નો જવાબ મેળવવાનો હોય।
હસમુખ અમથાલાલ મહેતા
This poem has not been translated into any other language yet.
I would like to translate this poem
અંતરઆત્મા ના અવાજ ને ઓળખો માણસ અને સ્વભાવ ને જરૂર થી પરખો નિષ્ફળતા નો ભૂતકાળ જો સ્વાદ ચાખ્યો જ હોય તો પછી સ્વયં ને જ સવાલ નો જવાબ મેળવવાનો હોય। હસમુખ અમથાલાલ મહેતા