અસહાય અને લાચાર
,
મંગળવાર,16 ઓક્ટોબર 2018
ના કરું અહિત બીજાનું
ના કરું નુકસાન સગાનું
સાચવું સંબંધ હૃદય થી
ના રાખું સંશય બીજા થી।
દિવસો કાયમ છે સુખ થી
નથી વસવસો દુઃખ થી
શરણે ધર્યું છે જીવન જ્યારે થી
પ્રભુ તમેજ બન્યા છો સારથી।
ના કરું સંતાપ ધનસંચય નો
ના રાખું આગ્રહ એવા આશય નો
જીવન સાદું રાખી સદાચારી બનું
પ્રભુ ને વિનવું "વસો મારા અણું અણું "
મારી નૈયા કરાવો પર
હું તો છું અસહાય અને લાચાર
મને કેમ આવે આવા વિચાર?
જેના પ્રભુ હોય હંમેશા તારણહાર।
જગ સાથે મને લાગણી છે
મધુરતા સાથે વાણી બંધાણી છે
આ જ એક શિષ્ટાચાર ની કહાણી છે
સંબંધો ની વણઝાર જ તો માનવતા ની લ્હાણી છે।
હસમુખ અમથાલાલ મહેતા
જગ સાથે મને લાગણી છે મધુરતા સાથે વાણી બંધાણી છે આ જ એક શિષ્ટાચાર ની કહાણી છે સંબંધો ની વણઝાર જ તો માનવતા ની લ્હાણી છે। હસમુખ અમથાલાલ મહેતા
This poem has not been translated into any other language yet.
I would like to translate this poem
We shall love nature from inner core of heart with beauty of love, care and perception. A nice poem is well penned for awareness. Thanks for sharing this poem...10