ધનવિહીન
ધનવિહીન નિર્ધન નથી
માનવતા નિર્બળ નથી
બધા ધનવાન સબળ નથી
બસ માનવી જ જીવે છે કળ થી।
ભગવાને ઈચ્છા શક્તિ આપી છે
ખરાબ વૃત્તિઓને જડમુળ થી કાપી છે
સારી ભાવનાઓને જ સંતોષી છે
દિલ થી પણ મિતભાષી રહ્યો છે।
છે તો મીનપિયાસી
પણ રહ્યો અભિલાષી છે।
કોઈને છેતર્યા નથી
કોઈને આંતર્યા નથી।
ઠારી છે આંતરડી ગરીબ ની
બલિહારી માની છે નસીબ ની
'પ્રભુજ મારા સારથી' અને એનાજ ગુણગાન
જીવન નો સાર એટલે ના રાખે કોઈ અભિમાન।
એટલું જાણજો કે 'તમારું અહિંયા કોઈ નથી'
ધનદોલત કે જાયદાદ સાથે આવવાની નથી
હાથ ખુલ્લા રહી જશે અને આંખો ઉઘાડી
કાંધ આપી લોકો લઇ જશે મૃતદેહ ને ઉપાડી।
એટલું જાણજો કે તમારું અહિંયા કોઈ નથી ધનદોલત કે જાયદાદ સાથે આવવાની નથી હાથ ખુલ્લા રહી જશે અને આંખો ઉઘાડી કાંધ આપી લોકો લઇ જશે મૃતદેહ ને ઉપાડી।
This poem has not been translated into any other language yet.
I would like to translate this poem
welcome aashalibhdra mehta Like · Reply · 1 · Just now