એની મરજી વિના
સોમવાર,1 એપ્રિલ 2019
મારો હંસલો કરે પોકાર
એને ના આપે કોઈ આવકાર
મન માં ને મન માં લે વિચારો આકાર
શા ના માટે જોઈએ તારે સત્કાર?
તું સમજ્યો છે ખરો
ને લીધો તેનો ધડો
પછી શાનો છે ઉપાડો?
આ સંસાર મળ્યો છે રૂડો।
આપણું અહિંયા શું છે કામ?
બધુ જ તો કરે છે ઈશ્વર તમામ
આપણે તો ખાલી ભીડીએ હામ
બસ વસાવી દિલ માં ભગવાન રામ।
છોડી દો બધું અને કરો સમર્પણ
આજ છે તમારું ખરું તર્પણ
એની મરજી વિના ખસે ના ખડ
પછે કેમે કરવીમન થી ચડભડ।
આ ભેદ અને મર્મ સમજવો મુશ્કેલ
પણ લાવવો પડે એનો સુમેળ ઉકેલ
માનવી જો સમજે ખરા દિલ થી
જીવી જાય મનખો ઘણા સુખ થી।
હસમુખ અમથાલાલ મહેતા
The concept of surrender and doing things without the sense of authorship, this is the true karmic action. THis is brilliantly depicted in this Gujaratio poem.
This poem has not been translated into any other language yet.
I would like to translate this poem
This is a very beautiful Gujarati poem this is mind blowing. Thank you very much for sharing this excellent work.