માનવ સ્વભાવ
રવિવાર,23 સપ્ટેમ્બર 2018
તમે રહયા ઘર ના બીજા
કોઈ ને કહેવાય નહિ
આમ તો છો મારા આત્મજ
વાત થઇ જાય છે સહજ।
તકલીફ જો કદી થાય તન
દ્રવી ઉઠે છે મારું મન
કલ્પના માત્ર થી કંપી ઉઠે
"અરે"ના ઉદગાર થી બોલી ઉઠે।
મન રહે ઘેરાયેલુ
શંકાકુશંકા થી અટવાયેલું
વહેમ અને શોક થી વ્યાકુળ
કોઈપણ ચીજ ના ભાવે, કૈં પણ ના લાગે પ્રતિકૂળ।
આવો જ છે માનવ સ્વભાવ
બદલતા રહે એના હાવભાવ
વેર થી વેર ની કરે પતાવટ
વાતવાત માં કરે બનાવટ।
આવો છે અમારો જીવન નો સંસાર
નથી એના માં કોઈ અતિસાર
અહિંયા ઘણા આવ્યા ને ઘણા ચાલ્યા ગયા
પણ ઘણા ભાડા સુગંધપણ પ્રસરાવી ગયા।
હસમુખ અમથાલાલ મહેતા
This poem has not been translated into any other language yet.
I would like to translate this poem
આવો છે અમારો જીવન નો સંસાર નથી એના માં કોઈ અતિસાર અહિંયા ઘણા આવ્યા ને ઘણા ચાલ્યા ગયા પણ ઘણા ભાડા સુગંધપણ પ્રસરાવી ગયા। હસમુખ અમથાલાલ મહેતા