મળે જીવન માં રાહત
મળે જીવન માં રાહત
જો હોય સારી સેહત
જીવન માં આપોઆપ આવી જાય ચાહત
અને કદી ના રહે માણસ આહત।
જીવન માં ફક્ત ઐશ્વર્યા જ હોત તો શું થાત?
જીવન માં ના હોત કોઈપણ જરૂરીયાત
માણસ ખાલી રૂપીયા જ ભેગા કરતો હોત
પ્રેમ નામની કોઈ વસ્ત આ ધરતી પર ના હોત।
'લાગણી વગર નો સમાજ'
ના ઉઠત કોઈ અવાજ
બધા જ યંત્રવત કામ કરતા હોત
ઊર્મિ કે લાગણીઓને માટે કોઈ જગા ના હોત।
વધારે વિચારવાની આવશ્યકતા નથી
ધરતી પાર આમેય કોઈ ની જરૂરિયાત નથી
ફૂલ ધરતી પાર આકાર પામે અને કરમાઈ જાય
જીવન મળે પણ કોઈ સુગંધ વગર આથમી જાય।
આવા નિરાશ જીવન માટે પ્રભુ એ માયા આપી
કુટુંબ અને ભાઈબંધો ની ફોજ આપી
લાગણીવશ આપણે ખેંચાતા જ રહયા
એકબીજાને મળી ને આનંદવશ થતાજ રહયા।
'ના કરશો કોઈ શોક' કદાચ દિલ દુઃખાય
અણગમો સામાનો સામેજ વર્તાય
આપણેજ આનંદ ના સાધન ઉભા કરવાના છે
પ્રભુએ ચીંધેલા માર્ગ પર ચાલીને નામ લેતા લેતા જવાનું છે।
This poem has not been translated into any other language yet.
I would like to translate this poem
ના કરશો કોઈ શોક કદાચ દિલ દુઃખાય અણગમો સામાનો સામેજ વર્તાય આપણેજ આનંદ ના સાધન ઉભા કરવાના છે પ્રભુએ ચીંધેલા માર્ગ પર ચાલીને નામ લેતા લેતા જવાનું છે।