મન અનુભવશે
પ્રભુ નો પાડ માણો
જિંદગી માં વિતાવો સારી ક્ષણો
કરી જાણજો જિંદગી ની સફર
વચન ને રાખજો હંમેશા અફર।
કરજો પ્રાર્થના એવી કે પંગત માં ના બેસવું પડે
અને પંગત એવી મળે જેમાં તપસ્વી આવી પડે
પોતાના હાથે ભોજન પીરસે
અને ગરીબો નો આશીર્વાદ લે।
જમાડવાની મજા અનેરી છે
કોઈ ની દુઆ તમને ફળેલી છે
તમારા હાથે આજે કોઈક જમી રહયું છે
અંતર ની આશિષ ખરા મન થી આપી રહ્યું છે।
ભગવાને તમને મન મૂકી ને આપ્યું છે
મન પણ વિશાળ કરી આપ્યુ છે
દિલ ને ના પૂછ શો પણ આંખો બંધ કરી દેજો
અન્નદાતા તમને સ્વયં પુછે એ પહેલા આશીર્વાદ લઇ લેજો।
લોકો વરસ ના બે ચાર દિવસ આવો લ્હાવો લઇલે છે
પણ આ અવસર તો વારંવાર મ્હાલવા જેવો છે
એમના ચેહરાપર નો ભાવ વાંચવાની કોશિશ કરજો
સાક્ષાત પ્રભુ નો પ્રસાદ મળ્યાજ કરજો।
નિહાળો દીનાનાથ ને ગરીબ ના સ્વાંગ માં
ખરો અવસર છે પામવાનો આ રમઝાન માં
તમારી કમાઈ નો થોડો હિસ્સો દિલ થી દાન કરજો
એની મહેરબાની નો હિસ્સો તમને જરૂર થી મળજો।
એને કોઈપણ રૂપ માં નિહાળો
તમને અનુભવ થશે નીરાળો
ગરીબ નો આશીર્વાદ તમારી મનોકામના પૂર્ણ કરશે
પણ આપણે જો તેમને હાશ આપીએ તોજ આપણું મન અનુભવશે।
This poem has not been translated into any other language yet.
I would like to translate this poem
એને કોઈપણ રૂપ માં નિહાળો તમને અનુભવ થશે નીરાળો ગરીબ નો આશીર્વાદ તમારી મનોકામના પૂર્ણ કરશે પણ આપણે જો તેમને હાશ આપીએ તોજ આપણું મન અનુભવશે।