મને સતાવવા
એકાંત
કોણ કરે રુદન પ્રાણાંત
જગા હોય સુમસામ
કોણ આવીને આપે તમને હામ?
કહે છે પિશાચ એકલો રહે
ભૂત પણ બધાને ડરાવે
આવો વહેમ આપણને વરસો થી છે
હાજી પણ આપણ ને અંધારા થી ભય લાગે છે।
એકાંત કોને ગમે?
જેની આગળ પાછળ મોત ભમે
જે જીવન થી નાસીપાસ થઇ ગયો હોય
જેનું જીવન માં પોતાનું કોઈપણ ના હોય।
એકાંત એટલે જીવનદર્શન
આખા દિવસ નું અવલોકન
કરેલા કાર્યો નું વિશ્લેષણ
અને અંતે રૂપરેખા નું સર્વેક્ષણ।
એકાંત માં તમને ઉત્તર જડે
નવા નવા નુસખા આવી ચડે
એકબીજાને ચડિયાતા કહેવડાવે તેવા પ્રવાહ વહે
કોઈ વિરલાજ એકાંત ને સહે।
હું વારંવાર જાતને પ્રશ્ન કરતો રહું
શા માટે હું મન ની વાત બીજાને કહું?
શા માટે નજીવી બાબત માં હું હાંસીપાત્ર બનું?
એકાંત માં મને મળી જાય હુકમ નું પાનું।
અહીં હું સર્વેસર્વા
ના કહું ' નરો વા કુંજરો વા'
ફક્ત કહું ' માં એ માં બીજા બધા વગડા ના વા'
શા માટે આવે છે બધા મને સતાવવા?
This poem has not been translated into any other language yet.
I would like to translate this poem
અહીં હું સર્વેસર્વા ના કહું નરો વા કુંજરો વા ફક્ત કહું માં એ માં બીજા બધા વગડા ના વા શા માટે આવે છે બધા મને સતાવવા?