મનોભાવ
શનિવાર,22 ડિસેમ્બર 2018
કોને કહેવાય લોહી ના સંબંધ?
શું કરીએ તો રહે અકબંધ?
સંભાળ રાખવી પડે કે રહે એ અતૂટ
આંખો દેખતી રહે એમાં ખજાનો લખલૂટ।
સંબંધ એટલે જળવાયેલા તાંતણા
એમાં ગૂંથાએલા દિલ ના તાણાવાણા
એકબીજા પ્રત્યે હોય પેમ ની લાગણી
આવું રહે સદા તો જ એની કિંમત સમજાણી।
એક ને દુઃખ હોય
તો બીજા ને એના માટે સહાનુભૂતિ હોય
મનોમન એની અનુભૂતિ થતી હોય
શોક નો ઓછાયો દિલ માં અનુભવતો હોય।
મન આકુળવ્યાકુળ થઇ જાય
એકબીજા પ્રત્યે મનોભાવ વ્યક્ત થાય
સુખ હોય તો આભાર ની લાગણી વ્યક્ત થાય
દુઃખ હોય તો ઘેરી લાગણી ઓ વર્તાય।
માણસ જ આની અભિવ્યક્તિ કરી શકે
એકબીજા ની હૂંફ અનુભવે અને માણી શકે
"રખે ને મારો વારો આવે"એમ સમજી જોડાયેલા રહે
આવા મનોભાવ થી હંમેશા સંકળાયેલા રહે।
હસમુખ અમથાલાલ મહેતા
This poem has not been translated into any other language yet.
I would like to translate this poem
માણસ જ આની અભિવ્યક્તિ કરી શકે એકબીજા ની હૂંફ અનુભવે અને માણી શકે રખે ને મારો વારો આવેએમ સમજી જોડાયેલા રહે આવા મનોભાવ થી હંમેશા સંકળાયેલા રહે। હસમુખ અમથાલાલ મહેતા