મનોભાવ... Manibhaav Poem by Mehta Hasmukh Amathaal

મનોભાવ... Manibhaav

Rating: 5.0

મનોભાવ
શનિવાર,22 ડિસેમ્બર 2018

કોને કહેવાય લોહી ના સંબંધ?
શું કરીએ તો રહે અકબંધ?
સંભાળ રાખવી પડે કે રહે એ અતૂટ
આંખો દેખતી રહે એમાં ખજાનો લખલૂટ।

સંબંધ એટલે જળવાયેલા તાંતણા
એમાં ગૂંથાએલા દિલ ના તાણાવાણા
એકબીજા પ્રત્યે હોય પેમ ની લાગણી
આવું રહે સદા તો જ એની કિંમત સમજાણી।

એક ને દુઃખ હોય
તો બીજા ને એના માટે સહાનુભૂતિ હોય
મનોમન એની અનુભૂતિ થતી હોય
શોક નો ઓછાયો દિલ માં અનુભવતો હોય।

મન આકુળવ્યાકુળ થઇ જાય
એકબીજા પ્રત્યે મનોભાવ વ્યક્ત થાય
સુખ હોય તો આભાર ની લાગણી વ્યક્ત થાય
દુઃખ હોય તો ઘેરી લાગણી ઓ વર્તાય।

માણસ જ આની અભિવ્યક્તિ કરી શકે
એકબીજા ની હૂંફ અનુભવે અને માણી શકે
"રખે ને મારો વારો આવે"એમ સમજી જોડાયેલા રહે
આવા મનોભાવ થી હંમેશા સંકળાયેલા રહે।

હસમુખ અમથાલાલ મહેતા

મનોભાવ... Manibhaav
Saturday, December 22, 2018
Topic(s) of this poem: poem
COMMENTS OF THE POEM
Mehta Hasmukh Amathalal 22 December 2018

માણસ જ આની અભિવ્યક્તિ કરી શકે એકબીજા ની હૂંફ અનુભવે અને માણી શકે રખે ને મારો વારો આવેએમ સમજી જોડાયેલા રહે આવા મનોભાવ થી હંમેશા સંકળાયેલા રહે। હસમુખ અમથાલાલ મહેતા

0 0 Reply
READ THIS POEM IN OTHER LANGUAGES
Mehta Hasmukh Amathaal

Mehta Hasmukh Amathaal

Vadali, Dist: - sabarkantha, Gujarat, India
Close
Error Success