મન માં રંજ
સોમવાર,12 નવેમ્બર 2018
બધા કહેવા ખાતર કહે
મન ની શાંતિ માટે અનુસરણ કરતા રહે
પણ મન માં રંજ તો હોય જ
અને ખોટું કર્યા નો અફસોસ પણ થાય જ।
આ સમાજ દંભીઓનો છે
બાહ્ય આડંબર પર જ દુનિયા ચાલે છે
એક બીજા ને નીચા કેમ દેખાડવા તેની જ હોડ ચાલે છે
ચારે બાજુ બસ પોલંપોલ જ ચાલે છે
"હું બ્રહ્મા સ્વરૂપ" અને થયેલો સાક્ષાત્કાર
આવું કહેવા વાળા ઘણા મળે અને દેખાડે ચમત્કાર
આપણે પણ અંજાઈ જઈએ અને કરીએ સ્વીકાર
બસ ફરી આપણ ને મળી જાય અંધકાર।
આપણે વાંચ્યું છે અને કબુલ્યું પણ છે
ભગવાન નિર્વિકાર છે અને સર્વત્ર વિરાજમાન છે
હજારો વર્ષો ના તપ પછી પણ જેમને અસ્તિત્વ ના સમજાણું
તો આપણે શા માટે એમની માયાવી વિદ્યા માં ખેંચાવું।
સાદગી અને નિષ્ઠા એજ આપણો ધ્યેય
ના કરવો જોઈએ આપણે સમય નો વ્યય
પ્રભુ ને પામવા આપણે કુપ્રચાર માં ના પડવું
સમય ને પારખી ને તેનું અનુસરણ કરવું।
હસમુખ અમથાલાલ મહેતા
This poem has not been translated into any other language yet.
I would like to translate this poem
સાદગી અને નિષ્ઠા એજ આપણો ધ્યેય ના કરવો જોઈએ આપણે સમય નો વ્યય પ્રભુ ને પામવા આપણે કુપ્રચાર માં ના પડવું સમય ને પારખી ને તેનું અનુસરણ કરવું। હસમુખ અમથાલાલ મહેતા