મન ના મેળા
બુધવાર,2 જાન્યુઆરી 2019
મન ના મેળા ક્યારે થાય?
જ્યારે એક બીજા નું દુઃખ સમજાય
મન ની લાગણી ઓ એકદમ ઉભરાય
દિલ માં વસે ને ઘર કરી જાય।
હેત ના પારખા કદી ના થાય
ઉતાવલે આંબા કદી ના પાકી જાય
પ્રીત બંધા સમય લાગી જાય
પણ જો થઇ જાય તો કદી ના ભુલાય।
આંખો મળે તો સરે પ્રેમ નું સોપાન
મન માં ઉઠે વિચારો નું ઘમાસાણ
પ્રેમ ના અંકુરો ફૂટે અને મોકલાય કહેણ
જાણે નદી ના વહી ગયા વહેણ।
પ્રીત ની રીત અનોખી હોય
જેમાં લાગણીઓ નું યોગદાન વિશેષ હોય
જન્મોજનમ મળવાના કોલ દીધા હોય
સાથે જીવી સાથે મનસૂબા સિવાય સેવાય
હસમુખ મેહતા
This poem has not been translated into any other language yet.
I would like to translate this poem