મનોદશા
શનિવાર,23 માર્ચ 2019
કરશો ના કોઈ શોક મન માં
આવું તો બનતું રહેશે જીવન માં
કોઈ આવે ને કોઈ જાવે
આ માટે મન ને ખુબ સમજાવે।
આપણે બધા એક ડાળના પંખી
કોઈ રહે સુખી ને કોઈ દુઃખી
જીવન થી કદી મુખ ના મોડો
થોભો ને જુઓ ધીરજ ને, આપો મોકો થોડો।
જીવન ના મનોરથ ના થાય પુરા
મન માં ના લાવશો શંકા જરા
મોહ જ છે આપનો દુશ્મન
કદી ના કળવા દેતો મન।
લાખ મનાવ્યો પણ રૂઠી જાતો
તેનો સ્વભાવ ના સમજાતો
આમ તો સંકજા માં રહેતો
પણ મનોમન અવજ્ઞા કરતો।
આ છે આપણી મનોદશા
સમજી લો આવવાની છે અવદશા
આપણા માટે ચાલી રહી છે મહાદશા
સમજી ને ચાલવા નુ છે ધ્યાન મા રાખી દુર્દશા
હસમુખ અમથાલાલ મહેતા
This poem has not been translated into any other language yet.
I would like to translate this poem