મનોરથ
બુધવાર,21 નવેમ્બર 2018
પ્રભુ, તમે તારણહારા
સૃષ્ટિ ના સર્જનહારા
જીવન ના સર્જક
અને સંહારક પણ।
આવા પ્રભુ નું લીધું શરણું
રોજ થાય સવાર નું વહાણું
પ્રભુ નું નામ જ લાગે વહાલું
એમનું સ્વરૂપ મોહક અને નિરાળું।
એમની એકજ ઝલક તારે સંસાર
કદી ના આવે મન માં ફરિયાદ
સદા રાખું બીજા સાથે મેળ
અને વાતાવરણ પણ બનાવું સુમેળ।
આવા પ્રભુ ની લીલા અપરંપાર
એને સમજતા કદી ના આવે પાર
પ્રભુની કૃપાદ્રષ્ટિ હોય તો થાય બેડોપાર
સ્મરણ કરી ગદગદ થઇએ, વીનવી એ વારંવાર।
રહો તેની પ્રાર્થના માં હંમેશા મગ્ન
કદી ના થાય તમારું દિલ કદી ભગ્ન
સુખે થી દિવસો થશે પુરા
તમારા મનોરથ કદી નહિ રહે અધૂરા।
હસમુખ અમથાલાલ મહેતા
This poem has not been translated into any other language yet.
I would like to translate this poem
રહો તેની પ્રાર્થના માં હંમેશા મગ્ન કદી ના થાય તમારું દિલ કદી ભગ્ન સુખે થી દિવસો થશે પુરા તમારા મનોરથ કદી નહિ રહે અધૂરા। હસમુખ અમથાલાલ મહેતા