મૃત્યુલોક
મંગળવાર,2 ઓક્ટોબર 2018
કેમ આપ્યું હશે નામ "મૃત્યુલોક"
કદાચ આજ રસ્તો હશે જવા નો "પરલોક"
જવા વાળા પાછળ કેટલો બધો થાય શોક?
બધાજ રડે ભાન ભુલી ને અને મૂકે પોક।
ચારે બાજુ હોય રોકકળ
મન પણ થઇ જાય વિહ્વળ
નયન પણ થઈ જાય સજળ
અશ્રુ વહેવા માંડે જાને અવિરત જળ।
સમજે એના માટે બધુ
આપણે જ ઈચ્છીએ છીએ માયા વધુ
ધન જોઈને મુનિવર ચળે
જો વણમાગ્યું અનાયાસે મળે।
સ્વર્ગપણ અહીં છે
અને નરક પણ અહીં છે
સારા નરસા નો ભેદ પણ છે
ખરા ખોટા નો ખેદ પણ છે।
રહેવું અહિંયા અલ્પ
પણ નથી થતો કાયાકલ્પ
માયા અને ધનદૌલત નો જ સંકલ્પ
જીવન કેમ સુધારવું એનો શોધતા વિકલ્પ।
હસમુખ અમથાલાલ મહેતા
રહેવું અહિંયા અલ્પ પણ નથી થતો કાયાકલ્પ માયા અને ધનદૌલત નો જ સંકલ્પ જીવન કેમ સુધારવું એનો શોધતા વિકલ્પ। હસમુખ અમથાલાલ મહેતા
This poem has not been translated into any other language yet.
I would like to translate this poem
A wonderful poem is shared.