ના, કદી નહિ
શુક્રવાર,25 જાન્યુઆરી 2019
"ના, મારે ભાગી ને લગ્ન નથી કરવા"
મને છે મારા માં-બાપ ની પરવા
એમના સંસ્કાર મારી રગેરગ માં છે
મારી ખુશી પણ તેમની ખુશી માં જ છે।
હું ઉપરવટ કોઈ કાળે નહીં જાઉં
મારો જીવ ન્યોછાવર કરી દઉં
પણ એમની નાલેશી થાય તેવું તો કદીજ નહિ
મારે પરણવું છે પણ તેમની સમજાવટ થી જ અહીં।
હું અમિનેષ નજરે તેને જોઈ રહ્યો
તેની વાણી માં સચ્ચાઈ નો રણકો રણકતો રહ્યો
તેની વાતો માં દમ હતો
માં-બાપ ની છાયા ઘુમાવવા નો ડર હતો।
શું મને નિષ્ફળતા નો ડર સતાવી રહ્યો હતો?
શુ હું અસાહજિકતા થી પીડાઈ રહ્યો હતો?
કે પછી મારા મન માં ખોટ હતી?
ખરી વાત તો એ કે ખાટલે જ ખોડ હતી।
રખે ને મને અસફળતા મળે?
મારા જીવન માં તે ને કદી ના પામી શકું!
આવા વિચારો ને લઇ ને મેં ભાગી જવાનો પ્રસ્તાવ મુક્યો
પણ તેના જવાબે મને અંદર થી જ હચમચાવી મુક્યો।
Pic: Marry Pizzulo
હસમુખ અમથાલાલ મહેતા
This poem has not been translated into any other language yet.
I would like to translate this poem
રખે ને મને અસફળતા મળે? મારા જીવન માં તે ને કદી ના પામી શકું! આવા વિચારો ને લઇ ને મેં ભાગી જવાનો પ્રસ્તાવ મુક્યો પણ તેના જવાબે મને અંદર થી જ હચમચાવી મુક્યો। Pic: Marry Pizzulo હસમુખ અમથાલાલ મહેતા