નષ્ટ થવાનું
રવિવાર,23 સપ્ટેમ્બર 2018
ના જોયા કોઈ ના મન
ના પારખ્યો ધન નો મદ
રચ્યો રહ્યો સ્વીકારી હુંપદ
ચરણો માં ના પડ્યો પ્રભુ શ્રીપદ
માનવ નું જીવનઅમૂલ્ય
કોઈ આંકી ના શકે તેનું મૂલ્ય
કોઈ ના મન ને કદી ના દુખાવશો
પ્રભુ ની અવકૃપા ને આવકારશો।
મંદિર નઈ જાઓ તો ચાલશે
પણ પ્રેમ નો તિરસ્કાર નહિ હાલશે
એકબીજાના ભાગીદાર તમે
હળીમળી ને રહો અને જીવો સુખે।
આજ છે માનવધર્મ
અને નથી આધારિત કોઈ કર્મ
આજ જીવન માં બધું ભોગવવાનું
કર્મ નું ફળ પણ અહીજ પામવાનું।
કર્મ અને ધર્મ
સમજો એનો મર્મ
ધર્મ કદી ના શીખવે
પોતે થાય દુઃખી અને બીજાને પણ કરે।
કરો સંકલ્પ દિલ થી
અને ધોઓ મેલ સ્વેચ્છા થી
પ્રભુ ને પામશો
અને મન થીગદગદ થશો।
સાથે શું લાવ્યા અને શું લઇ જવાના
રહી જશે પાછળ લીટા કદમ ના
કોઈ નહિ સંભાળે, જો કર્યું હશે કામ દુભાવવાનું
આપણે તો અવતરવાનું અને નષ્ટ થવાનું।
હસમુખ અમથાલાલ મેહતા
This poem has not been translated into any other language yet.
I would like to translate this poem