નિરાશ ના કરશો
રવિવાર,4 નવેમ્બર 2018
હું રહ્યો સદા સીધો અને સાદો
હંમેશા કહેતો"રહેવાદો, રહેવાદો"
આપણે રહયા પાડોસી અને બંધુ
રહો પ્રેમ થી અને ભૂલી જાવ હંધું।
માનવ અવતાર કોને મળે?
મળે તો પણ કોને ફળે?
જન્મારો ના કપાઈ જાય આપમેળે!
એના માટે કેટલોય સંઘર્ષ કરવો પડે।
પુણ્યશાળી હોય એજ ભાગ્યશાળી બની શકે
સંસાર ના વિષચક્રો કદી ના ટકી શકે
આત્મા ને હાંમેશા કરતાર તરફ થી બળ મળતું રહે
જીવન નો પ્રવાહ આમજ સરળતા થી વહેતો રહે।
પ્રભાવ નો પ્રતાપ અને માતાપિતા નો આશીર્વાદ
તમારું જીવન પ્રભાવશાળી અને રહે નિર્વિવાદ
લક્ષ્મી ની અવિરત કૃપા વરસતી રહે
તમારી આંખો કદી વિવશતા થી તરસતી રહે।
કદી ના કરો તિરસ્કાર ગરીબ નો
જાકારો ના આપો કદી ભિક્ષુક ને
ના આપી શકતો કૈં નહિ વેણ બૂરા ના કહેશો
અતિથિ, પરોણા ઓ ને કદી નિરાશ ના કરશો।
હસમુખ અમથાલાલ મહેતા
This poem has not been translated into any other language yet.
I would like to translate this poem
કદી ના કરો તિરસ્કાર ગરીબ નો જાકારો ના આપો કદી ભિક્ષુક ને ના આપી શકતો કૈં નહિ વેણ બૂરા ના કહેશો અતિથિ, પરોણા ઓ ને કદી નિરાશ ના કરશો। હસમુખ અમથાલાલ મહેતા