નોરતા
શુક્રવાર,19 ઓક્ટોબર 2018
નોરતા માં માતાજી પધાર્યા
અમે ઘણા ઘણા ભાવ થી આવકાર્યા
મન થી ગદગદ થઇ શણગાર્યા
દીવા થી શેરીઓ ના ખૂણા ઓ ને ઝગમગતા કર્યા।
વરસો થી ચાલી આવતી પ્રથા
માતાજી માં અડગ શ્રદ્ધા અને આસ્થા
રાત ના ઉજાગરા હોવા છતાં એવીજ તાજગી
બસ પગ માં થાય શક્તિ નો સંચાર જ્યારે રમીએ ગરબી।
રાત્રે ઉલ્હાસ સાથે નવી નવી વેશભૂષા
બાળકો આનંદ માં ઘૂમે અને નાચે યુવા
ક્યારે સવાર પડે એની ખબર જ ના પડે
માતાજી પ્રત્યેનો ઉત્સાહ જ ઠંડો ના પડે।
આવા નોરતા લાવે આશીર્વાદ નો પ્રસાદ
કદી ના આવે આસક્તિ કે જીવન માં વિષાદ
હંમેશા સુખ જ સુખ આને ના હોય બીજી કોઈ કલ્પના
હસતા રમતા બસ માતાજી ની જ કલ્પના।
માતાજી નું સ્થાન અમારા જીવન માં વિશેષ
કેટલી બધી પેઢી ઓ થઇ ગઈ નામશેષ
હજુ પણ લોકો માં એટલોજ વિશ્વાસ
કદી ના હોય મન માં રંજ કે નિશ્વાસ।
હસમુખ અમથાલાલ મહેતા
This poem has not been translated into any other language yet.
I would like to translate this poem
માતાજી નું સ્થાન અમારા જીવન માં વિશેષ કેટલી બધી પેઢી ઓ થઇ ગઈ નામશેષ હજુ પણ લોકો માં એટલોજ વિશ્વાસ કદી ના હોય મન માં રંજ કે નિશ્વાસ। હસમુખ અમથાલાલ મહેતા